*સમર્થ ભારત વ્યાસપીઠ*ના સીઈઓ બટુ સાવંતે થાણે નગરપાલિકા સાથે મળીને ટ્રાફિક સિગ્નલ પર બ્રિજના નીચે એક શાળાની શરૂઆત કરી છે. આ ભારતની પ્રથમ એવી શાળા છે જેની શરૂઆત ટ્રાફિક સિગ્નલ ઉપર કામ કરનારા અને રોડ ઉપર રહેનારા બાળકોના અભ્યાસ માટે થઈ હોય.
Month: October 2018
કચરાને પોતાની આવકનું સાધન બનાવતા વિયતનામના લોકો
ખુબસુરત દરિયો, પૈગોડા, પ્રાચીન કુવા અને તેના જંગલોના કારણે વિયતનામ પ્રવાસ માટે ખુબ પસંદ કરવામાં આવે છે. યુનેસ્કોના એક અંદાજ મુજબ દરવર્ષે પ્રવાસી અને આમનાગરિકોના કારણે વિયતનામમાં ૨૭૦૦૦ ટન કચરો પેદા થાઈ છે આ કચરાના કારણે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય બંને ઉપર માઠી અસર થઇ હતી
૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખતા રામવીર કશ્યપ
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નન્હેડા ગામમાં રહેતા ૫૯ વર્ષના મિસ્ત્રી રામવીર કશ્યપ છેલ્લા ૨૫ વર્ષથી ૧૨૦ વર્ષ જૂની મસ્જિદની દેખરેખ રાખી રહ્યા છે. તેઓ આ કાર્યને પોતાનું ધાર્મિક કર્તવ્ય સમજે છે.
અંબિકાપુરનું સ્વછતા અભિયાન સમગ્ર ભારત માટે એક મિસાલ
છત્તીસગઢના સુરગુજા જિલ્લાના કલેકટર ઋતુ સૈને પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા અંબિકાપુરને સ્વચ્છ બનાવવાની શરૂઆત રૂપે કાર્ય શરુ કર્યું હતું, જેમાં સ્વછતા માટે સફાઈ કર્મચારીઓની સાથે સાથે આમ નાગરિકોને પણ જોડવામાં આવ્યા છે.
કેરળ પૂરગ્રસ્ત લોકો માટે ફેરો સિમેન્ટ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી રહેલા સસ્તા અને મજબૂત ઘર
કેરળમાં આ વર્ષે સદીના સૌથી ભયંકર પુરના કારણે ૪૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦ લાખથી પણ વધુ લોકો ઉપર પૂરની આર્થિક અને સામાજિક અસર થઈ હતી, અને ૪૫૦૦૦ હજાર હેક્ટર ખેતીની જમીનમાં ચોખા, કેળા, મસાલા અને અન્ય પાકોને પણ નુકસાન થયુ હતું.
જર્મનીમાં એક લાખ ઘરોની બેટરી-સ્ટોરેજ સિસ્ટમને જોડીને તૈયાર થઈ રહેલો વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ
જર્મનીએ દેશમાં સૌર ઊર્જાને સસ્તી બનાવવા માટે નાગરિકોને ઘણી મદદ પૂરી પાડી છે, જેના પગલે આ વર્ષે જૂનમાં લગભગ ૧૦ લાખ જેટલા ઘરોની છત પર સૌર પેનલો લગાવવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે જર્મનીમાં ખુબ જ વધુ માત્રામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.
જાદવ પેયેંગ, જેમણે ૪૦ વર્ષ સુધી સતત વૃક્ષારોપણ કરીને ઉજ્જડ જમીન પર જંગલ ઊભુ કર્યું
ફક્ત ૧૬ વર્ષની ઉંમરથી જ જાદવ પેયેંગ નામના એક ભારતીય વ્યક્તિએ દરરોજ એક વૃક્ષ રોપવાનું શરુ કર્યું હતુ. જ્યાં હાલમાં લગભગ ૪૦ વર્ષ પછી ન્યુયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્ક કરતા પણ મોટું જંગલ વિકાસ પામ્યું છે. ૧૩૬૦ એકર જમીનમાં ફેલાયેલું આ જંગલ એક સમયે ઉજ્જડ અને ધોવાણ પામેલી જમીન હતી.