પરિવહન માટે યોગ્ય સુવિધાઓના અભાવને લીધે દિવ્યાંગ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને દિલ્હી પરિવહન નિગમે દિલ્હી સરકારની મદદથી શહેરમાં દિવ્યાંગોને અનુકૂળ આવે એવી બસો દોડાવવાનું નક્કી કર્યું છે. આ બસમાં ઉતરવા અને ચઢવા માટે સામાન્ય બે દરવાજાને બદલે ત્રણ દરવાજા હશે.
Month: January 2019
ચેક ડેમ દ્વારા પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવતું છોટા બિહાર નામનું ગામ
મધ્યપ્રદેશની રાજધાનીથી આશરે ૩૫૦ કિલોમીટર દૂર આવેલ છોટા બિહાર ગામમાં આશરે ૨૫૦ જેટલા પરિવાર રહે છે. અહીંના લોકોની આજીવિકા માટે મોટે ભાગે ખેતી પર આધારિત છે.
નકામાં કોફી ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થતાં ઇંધણ પર દોડી રહેલી લંડનની ડબલ-ડેકર બસ
એક સમય હતો કે લંડનની શેરીઓમાં ચાલતી લાલ ડબલ-ડેકર બસોના કારણે પ્રદુષણમાં વધારો થઈ રહ્યો હતો અને આ પ્રદૂષણને અટકાવવા માટે પરિવહન કંપનીઓ બસો માટે ઊર્જાના નવા સ્ત્રોતો શોધી રહી હતી. પરંતુ આજે લંડનની આ લાલ બસો હવે કોફીના કચરામાંથી તૈયાર થતાં ઇંધણની મદદથી દોડી રહી છે.
અંધ લોકો માટે બ્રેઇલ લિપીમાં સમાચાર પત્રક પ્રકાશિત કરતા મહારાષ્ટ્રના સ્વાગત થોરાત
બ્રેઇલ લિપીમાં પ્રકાશિત થતા ‘સ્પર્શ જ્ઞાન’ નામક સમાચાર પત્રકની શરૂઆત ૨૦૦૮માં મહારાષ્ટ્રના નિવાસી સ્વાગત થોરાત દ્વારા કરવામાં આવી હતી. મરાઠી ભાષામાં પ્રકાશિત થનાર ૫૦ પાનાઓનું આ અખબાર મહિનાની પહેલી અને ૧૫મી તારીખે પ્રકાશિત થાય છે.
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં ‘મોબાઈલ પોલીસ સ્ટેશન’ દ્વારા લોકોનો ભરોસો જીતી રહેલું પોલીસ તંત્ર
કાયદા પ્રણાલી તથા પોલીસ તંત્ર પર નાગરિકોના ભરોસાને વધારવા માટે મહારાષ્ટ્રના ભંડારા જીલ્લાના આઈપીએસ અધિકારી વિનીતા સાહુએ ‘મોબાઇલ પોલીસ સ્ટેશન’ની એક અસરકારક પહેલ શરૂ કરી છે.
સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા પ્રવાસીઓને ભારતીય સેનાએ બચાવ્યા
સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે આશરે ૨૫૦૦ પ્રવાસીઓ ભારત-ચીન સરહદ પર આવેલા નાથુ લા તથા આજુબાજુના અન્ય વિસ્તારોમાં ફસાયેલા હતા અને આવા કપરા સમયમાં મુસાફરોને પોતાના જીવ બચાવવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આવા મુશ્કેલીના સમયે ભારતીય સેનાએ મદદ કરીને ફસાયેલા લોકોને બચાવી લીધા હતા.
પોતાની મહેનત અને પૈસા વડે જાતે જ પુલનું નિર્માણ કરતા ગઝાલપુરના ગ્રામજનો
ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અને આવું જ કંઈક કરી બતાવ્યું છે ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં આવેલ ગઝાલપુર ગામના લોકોએ. તેઓએ પોતાની મહેનત અને પૈસા એકત્ર કરીને જાતે જ એક પુલનું નિર્માણ કર્યું છે જે કાળી નદી ઉપરથી પસાર થાય છે.
ચેન્નઈ મહાનગર પાલિકા દ્વારા શારીરિક રીતે અસક્ષમ બાળકો માટે સંવેદનાત્મક પાર્કની શરૂઆત
ચેન્નઈ નગર પાલિકા દ્વારા શારીરિક રીતે અશક્ષમ અને અપંગ લોકો માટે એક બગીચાની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને આનંદની સાથે સાથે તેમની સંવેદનાત્મક શક્તિમાં વધારો કરવાનો છે.
પિતાની યાદમાં એક સુંદર રસ્તાનું નિર્માણ કરી સ્થાનિક લોકોની તકલીફને દૂર કરતો એક પુત્ર
આસામના ડિબ્રુગઢ નગરના બોઇરાગિમોથ વિસ્તારમાં એક સુંદર રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રસ્તાનું નિર્માણ રાજ્ય કે કેન્દ્ર સરકારે નથી કર્યું પંરતુ એક પુત્રએ તેના પિતાની યાદમાં કર્યું છે.
છત્તીસગઢના દંતેવાડાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં દરેક મુશ્કેલીને પાર કરી દર્દીઓ સુધી પહોંચતા ડૉ. અન્સારી
નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પણ સહાયક તબીબી અધિકારી ડૉ. અતિક અહમદ અન્સારી દંતેવાડા-સુકમા સરહદ વિસ્તારમાં આવેલ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર આમ નાગરિકો અને સુરક્ષા દળોના સૈનિકો માટે પોતાની સેવા આપી રહ્યા છે.