ફ્લોરાઇડ નિલોગોન અને આર્સિરોન નિલોગોન: દુષિત પાણીમાંથી ફ્લોરાઇડ અને આર્સેનિક દૂર કરવાની સસ્તી, સરળ અને કાર્યક્ષમ પદ્ધતિઓ
ફ્લોરાઇડ નિલોગોનના એક સામાન્ય ઘરગથ્થુ એકમમાં રિએક્ટર માટે ૪૦ લિટર ક્ષમતાની પ્લાસ્ટિકની ડોલ અને રેતી-કાંકરી ફિલ્ટર માટે બીજી ૨૦ લિટરની ડોલનો સમાવેશ થાય છે. બંને ડોલની નીચે એક-એક પ્લાસ્ટિકનો નળ લાગેલો હોય છે. રિએક્ટર વાળી ડોલને ફિલ્ટરની ડોલથી ઉપરની સપાટી પર રાખવામાં આવે છે જેમાં ૦.૧ થી ૧.૫ સેમી કદના ચૂનાપત્થરના અંદાજે ૫૦ કિલો જેટલા ટુકડા ભરવામાં આવે છે. આ રિએક્ટર લગભગ ૧૫ લિટર પાણીનો સમાવેશ કરી શકે છે. નીચેની સપાટી પર રહેલી ફિલ્ટર વાળી ડોલમાં તળિયે ૨-૩ સેમી કદની કાંકરીનું ૮-૧૦ સેમીનું સ્તર હોય છે અને બાકીની ડોલ સ્વચ્છ અને મધ્યમ કદની રેતીથી ભરેલી હોય છે. કાંકરીના સ્તરમાં રેતી મિશ્ર ન થઈ જાય એ માટે બંનેના સ્તરો વચ્ચે એક પાતળું છિદ્રાળુ કાપડ હોય છે.
Continue Reading