Skip to content

Prasann Prabhat

Towards a brighter tomorrow

Menu
  • Home
  • About Us
Menu

Category: Uncategorized

ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ

Posted on July 6, 2020July 19, 2020 by Punya kadiwala

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કૃષિ ઉદ્યોગને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તથા ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજે એ જ ખેડૂતો, પાકને મળવાપાત્ર લઘુત્તમ ટેકાના ભાવ તથા લૉન માફી જેવી વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. છેલ્લા કેટલાક દશકોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખુબજ નબળી બની છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે, કહેવાતા અન્નદાતાના ઘરે જ ઘણીવાર…

Read more

નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી

Posted on June 18, 2020July 18, 2020 by Faiz Masi

જમીનનું ખેડાણ સદીઓથી ખેતીવાડીના એક અભિન્ન અંગ તરીકે રહ્યું છે. જમીનનું ખેડાણ મુખ્યત્વે નિંદામણને દૂર કરવા તથા જમીનને વાવણી અને સિંચાઈ માટે તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દશકોથી ખેડાણ વગર પણ ખેતી કરવાની પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. સંશોધકો કહે છે કે જમીનના ખેડાણથી જમીન પર ઘણીબધી આડઅસરો થાય છે જેમકે,…

Read more

પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર

Posted on June 2, 2020July 18, 2020 by Hasan Abbas Seliya

મેઘાલયાના ગરીબ વિસ્તારોમાંથી એક હોવા છતાં, રી ભોઈનો ઉમ્દેન ઇલાકો નૈતિક સેરિકલ્ચર (રેશમના કીડાનો ઉછેર) અને એરી રેશમ વણાટના કેન્દ્રબિંદુ તરીકે ઉભર્યો છે, જેનું કારણ છે પરંપરાગત કલાનો વ્યવસાય કરતી સ્ત્રીઓની દૃઢતા. ભોઈની સ્ત્રીઓ પોતાના ઘરોમાં સેંકડો રેશમના કીડા રાખે છે. તેઓ તેમને દિવસ અને રાત દરમિયાન ખવડાવે છે અને પ્રેમથી તેમની સંભાળ પણ રાખે…

Read more

બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

Posted on May 21, 2020July 18, 2020 by Punya kadiwala

બુન્દેલખંડના દુષ્કાળગ્રસ્ત બાંદા જીલ્લામાં આવેલા બડોખર ગામમાં રહેતા એક ખેડૂત પ્રેમસિંહના હર્યાભર્યા ખેતરોને જોઇને જયારે ખબર પડે કે આ કોઈ બેંકમાંથી લોન લીધા વગર તથા રાસાયણિક ખાતર વાપર્યા વગર જ ખેતી કરવામાં આવેલી છે તો ઘડીકવાર ચોક્કસપણે આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. પ્રેમસિંહ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કંપોસ્ટ તથા પ્રાકૃતિક ખાતર પર નિર્ભર છે, અને…

Read more

મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો

Posted on May 12, 2020July 18, 2020 by Punya kadiwala

શું તમે જાણો છો કે તમારા ઘર પાછળની જમીનના નાનકડા વિસ્તારને એકાદ વર્ષમાં સુંદર જંગલમાં રૂપાંતરિત કરી શકાય છે? ઉત્તરાખંડના એક એન્જીનીયર, શુભેંદુ શર્માએ, મિયાવાકી પદ્ધતિથી તેને શક્ય બનાવ્યું છે. શુભેંદુ જ્યારે ટોયોટા કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો, ત્યારે કંપનીના પ્લાન્ટમાં જંગલનું નિર્માણ કરવા માટે જાપાનના પ્રકૃતિવાદી અકીરા મિયાવાકીને બોલાવવામાં આવ્યા, જેમની જંગલ ઉગાડવાની પદ્ધતિ…

Read more

આઈસ સ્તૂપ: લદ્દાખમાં જળસંગ્રહ પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો

Posted on April 28, 2020July 18, 2020 by Vishesh

લદ્દાખના રણપ્રદેશમાં પાણીની કટોકટીને ઉકેલવા માટે “આઈસ સ્તૂપ” નામક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ઉનાળામાં, રોજિંદા વપરાશ અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડશે તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે પણ ખુબજ મદદરૂપ સાબિત થશે. ભારતની ઉત્તરીય સીમામાં સ્થિત લદ્દાખ સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આબોહવાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હિમાલયની પર્વતમાળા,…

Read more

શું “ટીકા” સમાજ માટે ફાયદાકારક બની શકે?

Posted on March 21, 2020July 18, 2020 by Punya kadiwala

આપણી આસપાસ દરરોજ ઘણાબધા બનાવો બનતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોની પ્રસંશા થાય છે તો કેટલાકની નિંદા. ખાસ કરીને જયારે કોઈ અણબનાવ બને ત્યારે ચારેકોર નિંદા થવા લાગે છે, અને સૌ કોઇ પોતાના સ્વભાવ અનુસાર ટીકાઓ કરવા લાગે છે. વ્યક્તિગત જીવનમાં પણ જયારે આપણને કોઈનું વર્તન અથવા કાર્ય ન ગમે ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેની…

Read more

સ્વસ્થ શરીર માટે શર્કરા (સુગર) પર નિયંત્રણ અત્યંત જરૂરી

Posted on March 6, 2020July 18, 2020 by

આજે જ્યારે શરીરમાં વધુ પડતી શર્કરા (સુગર)ને કારણે મોટાપો વધતો જાય છે અને લોકો સ્થૂળતાથી તથા બીજી અન્ય બીમારીઓથી પીડાય છે, ત્યારે આપણી માટે આપણા ખોરાક વિષે માહિતી રાખવી અનિવાર્ય બની રહે છે. રોજિંદા જીવનમાં આપણો ખોરાક એ રીતે માપસરનો હોવો જોઈએ કે શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી ન જાય, તથા જરૂરી માત્રામાં શર્કરા મળી રહે….

Read more

ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ

Posted on February 19, 2020July 18, 2020 by Hasan Abbas Seliya

ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે…

Read more

તુર્કીનું એક નગર જ્યાં છેલ્લા ૭૦ વર્ષોથી કોઈ ભૂખ્યું ઉંઘ્યું નથી

Posted on February 2, 2020July 18, 2020 by Hitesh Harvani

એલાઝીગ પ્રાંતની ૧૦૦ કીમી. ઉત્તરે આવેલ કારાકોકન નગર પોતાની આગવી પરંપરાને લીધે હમણાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યાંના સ્થાનિકો માટે કમનસીબ જરૂરતમંદોને મદદ કરી પોતાની ફરજ અદા કરવી એક પરંપરા બની ગઈ છે. આ નગરમાં એવા ઘણા બધા રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં જરૂરતમંદ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. આ પરંપરાને દાયકા દર…

Read more

Posts navigation

  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 21
  • Next

Subscribe via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Recent Posts

  • બાર્ટર સિસ્ટમ(સાટા-પદ્ધતિ): આર્થિક સંકટ દરમિયાન અર્થતંત્રને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય
  • ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ
  • નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી
  • પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર
  • બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

Categories

  • English
  • Gujarati
  • Uncategorized

Archives

  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
©2021 Prasann Prabhat | Built using WordPress and Responsive Blogily theme by Superb
Prasann Prabhat
Proudly powered by WordPress Theme: ResponsiveBlogily.